મોરબીના વિધ્યાપ્રેમી રાજકુટુંબનાં આ સન્નારી પોતે બહુ ભણેલાં ન હોવા છતાં, લગ્ન બાદ આપમેળે અભ્યાસ કરીને, આજની સ્વાતંત્ર્યોતર રાજકિય પરિસ્થિતિમાં પણ, પોતાને શિરે આવી પડેલી અનેકવિધ જવાબદારીઓનો બોજો, સસ્મિત અને સફળતાપૂર્વક વહી રહ્યા છે.
પોતાના સુપુત્ર બાળમહારાજા શ્રી મયૂરધ્વજસિંહજીની ઉંમર નાની હોવાથી ભારત સરકારે તેમને એક ટ્રસ્ટી તરીકે નિમ્યાં છે. અને એક પુત્રવત્સલ તથા આદર્શ માતા તરીકે તેઓશ્રી બાળ મહારાજાના ઉછેર અને ભણતરનુ ધ્યાન રાખી રહ્યા છે,એટલુ જ નહી પણ તેમની ઉચ્ચ કેળવણી અર્થે તેમને લાંબો સમય દૂર વિલાયત મોકલતા પણ તેઓશ્રી અચકાતા નથી,એ હકીકત તેમના કેળવણી-પ્રેમની પ્રતીતિ કરાવી રહે છે.
પરંતુ प्रजाः प्रजाः रुवा ईव (એટલે કે, પોતાના રાજ્યની પ્રજા એ પોતાના સંતાનો જેટલી જ પ્રિય હોવી )-એ તો પ્રાચીન ભારતીય સંસ્ક્રુતિમાં રાજાના પ્રથમ ધર્મ તરીકે માન્ય થયેલ છે. મોરબીનુ રાજ્યકુટુંબ પણ એ પ્રાચીન ભારતીય સંસ્ક્રુતિના સિધ્ધાંતો અને આદર્શોને વરેલુ છે, એ મોરબીની પ્રજાનું સદ્ ભાગ્ય છે.
શ્રી સર્વોદય એજ્યુકેશન સોસાયટીએ મોરબી ખાતે ઉચ્ચ શિક્ષણની કોલેજો શરુ કરિ કે તરત જ આ પ્રજાવત્સલ રાજકુટુંબ તરફથી રૂ.ચાર લાખનુ ઉદાર દાન સોસાયટીને મળ્યું. સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ એવી બિન-સરકારી સાયન્સ કોલેજ સાથે મોરબીના સ્વ.મહારાજા શ્રી મહેન્દ્રસિંહનુ નામ સાંકળીને રાજકુટુંબે સૌરાષ્ટ્રના મધ્યમ વર્ગનાં અનેક ઉત્સાહી ભાઇ-બહેનોને માટે વિ્જ્ઞાનના ઉચ્ચ શિક્ષણની ઉતમ સુવિધા કરી આપી છે. ભવિષ્યમાં પણ આ રાજકુટુંબ-જેમના એક સુયોગ્ય પ્રતિનિધિ તરિકે મહારાણી સાહેબ આજે આ વાર્ષિક સમારંભના ઉદધાટનકાર તરીકે આપણી વચ્ચે ઉપસ્થિત છે, તે-સોસાયટીને પોતાના બાકી રહેલા કાર્યો પરિપુર્ણ કરવામાં સારી એવી સહાય કરશે એવી અપેક્ષા છે.
એમનુ વ્યક્તિત્વ જાજરમાન અને પ્રતિભાસંપન્ન છે,મોરબી માટે તેમના હદય માં ખુબ પ્રેમ છે અને મોરબીની પ્રજાને તેમના માટે ખુબ આદર છે, અને યથાપ્રસંગ એ આદરને મોરબી યોગ્ય રીતે વાચા પણ આપે છે.